મોરબી પુલની ગોઝારી દુર્ઘટનામાં સંદીપસિંહ ઝાલા સસ્પેન્ડ.તેઓ વિના પરવાનગીએ મુખ્યમથક છોડી શકશે નહિ.

મોરબી ઝૂલતો પુલ તૂટી પડવાની દુર્ઘટનામાં ૧૩૫ જેટલા નિર્દોષ નાગરિકોનો ભોગ લેવાયો હોય જે ઘટના મામલે સીટની રચના કરી સમગ્ર બનાવની તપાસ કરવામાં આવી રહી છે તો બીજી તરફ પોલીસે ગુનો નોંધી નવ આરોપીને ઝડપી લઈને વિવિધ સ્થળે દરોડા કરી સઘન તપાસ ચલાવાઈ રહી છે ત્યારે હવે ઘટના માટે પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે જેની જવાબદારી ફિક્સ થાય છે તેવા ચીફ ઓફિસર સંદીપસિંહ ઝાલાને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે

ગુજરાત સરકારના શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ દ્વારા મોરબી નગરપાલિકાના ચીફ ઓફિસર સંદીપસિંહ ઝાલાને ફરજ મોકુફી હેઠળ મુકવા આદેશ કરવામાં આવ્યો છે જેમાં જણાવ્યું છે કે સંદીપસિંહ ઝાલા સામે તેમની તા.૩૧ જાન્યુઆરી ૨૦૨૨ થી આજદિન સુધી ચીફ ઓફિસર તરીકે ફરજ બજાવતા હતા દરમિયાન તા. ૩૧ ઓક્ટોબરના રોજ મચ્છુ નદી પર આવેલ કેબલ બ્રીજ તુટવાની ઘટના સંદર્ભે બ્રિજનું સમારકામ કરનારી એજન્સી, ઓરેવા કંપની અને મોરબી નગરપાલિકાના અધિકારી/કર્મચારીની જવાબદારી અંગે પણ રાજ્ય સરકાર દ્વારા રચવામાં આવેલ ઉચ્ચ અધિકારીઓની તપાસની કમિટી દ્વારા તપાસ ચાલુ છે જેથી ઘટનાની ગંભીરતાને ધ્યાને લઈને મોરબી પાલિકાના ચીફ ઓફિસર ઝાલાને સક્રિય સેવામાં ચાલુ રાખવા જાહેર વહીવટી હિતમાં ના હોય જેથી તાત્કાલિક અસરથી ફરજ મોકુફી હેઠળ મુકવામાં આવે છે.

ચીફ ઓફિસર સસ્પેન્ડ, મુખ્ય મથક છોડી શકશે નહિ.

ચીફ ઓફિસર સંદીપસિંહ ઝાલાને તાત્કાલિક અસરથી ફરજ મોકુફીનો આદેશ આપ્યો છે એટલું જ નહિ તેઓ મુખ્ય મથક છોડી શકશે નહિ અને કેટલીક શરતોનું પાલન કરવા પણ હુકમ કરાયો છે જે નીચે મુજબ છે.

૧. ફરજ મોકુફી દરમિયાન ગુજરાત મુલ્કી સેવા (ફરજ પર જોડાવાનો સમય, રાજ્યોતર સેવા, ભારત બહાર પ્રતીનીયુક્તી, ફરજ મોકુફી, બરતરફી અને રૂખસદ) નિયમો ૨૦૦૨ ના નિયમ ૬૮ (૧) મુજબ નિર્વાહ ભથ્થું ચુકવવામાં આવશે આ નિર્વાહ ભથ્થું નિયમ ૬૮ (૧)(૧) અને ૬૮ (૧)(૨) મુજબ સમીક્ષાને પાત્ર રહેશે

૨. દર માસે નિર્વાહ ભથ્થાની ચુકવણી મેળવતા પહેલા ગુજરાત

મુલ્કી સેવા (ફરજ પર જોડાવાનો સમય, રાજ્યોતર સેવા, ભારત

બહાર પ્રતીનીયુક્તી, ફરજ મોકુફી, બરતરફી અને રૂખસદ) નિયમો

૨૦૦૨ ના નિયમ ૬૯ (૪) મુજબ ફરજ મોકુફીના પ્રસ્તુત સમય

દરમિયાન કોઈપણ ખાનગી નોકરી સ્વીકારી નથી કે વ્યાપાર

અથવા ધંધામાં રોકાયેલ નથી તે અંગેનું લેખિત પ્રમાણપત્ર

આપવાનું રહેશે.

૩. ફરજ મોકુફી દરમિયાન તેમનું મુખ્ય મહ્તક પ્રાદેશિક કમિશ્નર, નગરપાલિકાઓ, રાજકોટ ઝોન, રજ્જોત રહેશે મુખ્ય મહ્તક ખાતેના તેના રહેઠાણના સરનામાંની અને ઉપલબ્ધ સંપર્ક નંબરોની નિયંત્રક અધિકારીને જાણ કરવાની રહેશે તેઓ નિયંત્રક અધિકારીની લેખિત પરવાનગી સિવાય મુખ્યમથક છોડી શકશે નહિ કોઈપણ કારણોસર જયારે સાત દિવસ કે તેથી વધુ દિવસ માટે મુખ્યમથકથી બહાર રહેવાનો પ્રસંગ ઉપસ્થિત થાય ત્યારે મુખ્ય મથક બહારના તેમના રહેઠાણના સરનામાંની અને ઉપલબ્ધ સંપર્ક નંબરોની પણ નિયંત્રક અધિકારીને જાણ કરવાની રહેશે

૪. ગુજરાત રાજ્ય સેવા (શિસ્ત અને અપીલ) નિયમો ૧૯૭૧ ના નિયમ-૫ (૫)(ક) ની જોગવાઈ મુજબ ફરજ મોકુફીનો હુકમ જ્યાં સુધી તેને સુધારવામાં કે રદ કરવામાં નહિ આવે ત્યાં સુધી તે અમલમાં ચાલુ રહેશે.