ભુજ સંજોગનગર નજીક ફાટક બંધ કર્યા વિના માલગાડી પસાર થતા લોકોમાં રોષ

copy image

ભુજના સંજોગનાગર નજીક ગત રાત્રે ફાટક બંધ કર્યા વિના જ માલગાડી પસાર થતા હંગામો સર્જાયો હતો. સ્થાનિક લોકોએ આ અંગે ફરિયાદ કરતા છેક ડીઆરરએમ કચેરી હરકતમાં આવવુ પડ્યું હતુ અને તપાસના આદેશ કર્યા હતાં. ભુજ તાલુકાના દેશલપર સુધી હાલ માલગાડીનું પરિવહન શરૂ થઇ ગયું છે.

પરંતુ વચ્ચે આવતા ફાટક વારંવાર બંધ કર્યા વિના જ માલગાડી પસાર કરાય છે. તેવામાં ગત મોડી રાત્રે શહેરના સંજોગનગર ફાટક પર ફરી આ પ્રકારની ઘટના બની હતી. અહીં ફાટક બંધ કર્યા વિના માલગાડી પસાર થઇ હતી. ત્યારે હાજર સ્થાનિક લોકો અને વાહન ચાલકોએ વીડિયો ઉતારી સોશિયલ મીડિયાના માધ્યમથી રેલ સેવાને ફરિયાદ કરી હતી.

મામલાની ગંભીરતા જોતા રેલ સેવાએ આ બાબતે ડીઆરરએમ અમદાવાદનું ધ્યાન દોર્યું હતુ. જેના જવાબમાં ડીઆરએમ અમદાવાદે પણ જવાબ આપી આ અંગે સંબંધીતોને જાણ કરાઇ હોવાનનું જણાવ્યું હતું. રાત્રી દરમિયાન ફાટક બંધ કર્યા વિના માલગાડી પસાર થતા લોકો રોષે ભરાયા હતા. આવી રીતે કોઇ દુર્ઘટના પણ બની શકે છે.


તો આ બાબતે ભુજ રેલવે સ્ટેશન માસ્ટર કે.કે. શર્માનો સંપર્ક કરતા આવી ઘટના બની હોવાનો સ્વિકાર કર્યો હતો. જોકે તેઓએ ઉમેર્યું હતું કે ફાટક કોઇ ટેકનલિકલ કારણોસર બંધ થયું ન હતું. જેના લીધે તાત્કાલિક રેલવેના કર્મચારીઓને સ્થળ પર મોકલી દેવામાં આવ્યા અને કર્મચારીઓએ વાહન ચાલકોને માલગાડી આવતી હોવા અંગે જાણ કરી હતી. ફાટકની મરંમત કરી દેવાઈ છે. હવે આ પ્રકારની સમસ્યા સર્જાશે નહિ.