માધાપર હાઈવે હોટેલ ભવાનીની બાજુમાં આવેલ દેવરાજભાઇ આહિરના બ્લોક કારખાનામાં ગ્રેબીંટનો અમલવારી તાત્કાલિક કરવા માંગ ઉઠી

આથી તમોને સને ૧૮૭૯ મુંબઇ જમીન મહેસુલ કાયદાની કલમ – ૨૦૨માં ઠરાવ્યા મુજબ આ નોટીસથી જણાવવામાં આવે છે કે મોળે માધાપર તા. ભુજના સ.નં. ૫૬૮ પૈકીની સરકારી પડતર જમીન પર પ્રતિવાદીથી દ્વારા બિન અધિકૃત રીતે દબાણ કરવામાં આવેલ છે. જે દબાણ અત્રેની કચેરીના હુકમ ક્રમાંક જમન/કલમ-૬૧ કેસ નં.૪- ૨૦૨૩ તા.૦૭/૦૮/૨૦૨૩ વાળાથી દિન – ૩માં સ્વેચ્છાએ દુર કરવા પ્રતિવાદીથ્રીને જણાવવામાં આવેલ. તેમ છતાં પ્રતિવાદીશ્રી દ્વારા સદરહું દબાણ દૂર કરવામાં આવેલ નથી. સબબ નીચેની વિગતેની જગ્યા પર તા.૨૮/૦૮/૨૦૨૩ના રોજ બપોર બાદ સરકારી રાહે જગ્યા પરનું તમામ દબાણ દૂર કરવાની તજવીજ કરવામાં આવશે. તે અંગે થતો તમામ ખર્ચ જમીન મહેસુલ બાકી પેટે તમારી પાસે વસુલ લેવામાં આવશે તેની નોંધ લેશો.