છબીલ પટેલના ફાર્મ હાઉસે થી બે લોકોની ધરપકડ કરવામાં આવી છે

હાલના બહુ ચર્ચિત હત્યા કેશ જેમાં અબડાસાના પૂર્વ ધારાસભ્ય એવા જયંતિ ભાનુશાલીની ૮ જાન્યુઆરીના રોજ તે ભુજથી સયાજીનગરી ટ્રેન મારફતે અમદાવાદ નરોડા ખાતે તેમના ઘર તરફ આવી રહયા હતા. ત્યારે ચાલુ ટ્રેનમાં તેમની ગોળી મારી હત્યા કરવામાં આવી હતી જેમાં ગોળીના કુલ પાંચ રાઉન્ડ ફાયર કરવામાં આવ્યા હતા જેમાં બે ગોળી જયંતિ ભાઈ ભાનુશાલી ને લાગી હતી. આ વાતની જાણ જયારે રેલ્વે તંત્ર તેમજ પોલીસ તંત્ર ને થતાં કાફલોઓ ઘટના સ્થળે ધસી આવ્યો હતો. આ ઘટનાની જાણ તેમના પરિવાર જનોને થતાં પરિવારમાં ગમગીન માહોલ છવાઈ ગયેલો હતો અને આ હત્યા પાછળનું કારણ છબીલ પટેલ ને ગણવામાં આવી રહ્યું હતું અને જયંતિ ભાઈના પરિવારજનો દ્વારા છબીલ પટેલ એ હત્યા કરવાનું કારણ આપતા આક્ષેપ કર્યા હતા. ત્યારે આ કેશ કોઈ રાજકીય દબાણ હેઠળ ઢંકાઈ ન જાય તે માટે ભાનુશાલી સમાજ દ્વારા મૌન રેલી કાઢી આવેદન પત્રો મારફતે વિવિધ રજૂઆતો કરાઇ હતી. જેના પગલે છબીલ પટેલના ફાર્મ હાઉસે થી બે લોકોની ધરપકડ કરવામાં આવી છે અને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ હત્યા પાછળનું કારણ CD કાંડ જાણવા મળ્યું છે. અને બીજું કારણ આ હત્યા પાછળનું એ પણ સામે આવી રહ્યું છે કે જયંતિ ભાઈ ભાનુશાલીના કારણે છબીલ ભાઈ પટેલને જે જે ચૂંટણીમાં નુકશાન થયું હતું. તેનું પણ મન દુખ રાખી ને પણ આ હત્યા કરવામાં આવી છે. તે પણ જાણવા મળ્યું હોવાનું બહાર આવી રહ્યું છે.