અંજારના સોની વેપારીના આપઘાત બનાવ અંગે પોલીસે દંપતી સામે નોંધી ફરીયાદ
copy image અંજારમાં સોના-ચાંદીના વેપારી મનીષ હરિલાલ બુદ્ધભટ્ટી (ઉ.વ. 58)એ ઝેરી દવા પી લઇને આપઘાત કરતાં બનાવ અંગે એક દંપતી સામે પોલીસ મથકે ફરિયાદ નોંધાઇ હતી. અંજારના ગંગા બજાર છ મીટર રોડ ઉપર જેનિલ જ્વેલર્સ નામની દુકાન ચલાવતા અને નયા અંજાર ચકરાવા વિસ્તારમાં રહેતા મનીષ બુદ્ધભટ્ટી નામના આધેડ વેપારીએ રાતના અરસામાં ઝેરી દવા ગટગટાવી અંતિમ પગલું ભરી લીધું હતું. ઝેરી દવા પી લેનાર આ વેપારીને પ્રથમ ખાનગી હોસ્પિટલ અને બાદમાં વધુ સારવાર અર્થે સરકારી હોસ્પિટલ લઇ જવાતાં ફરજ પરના તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા. ...