Month: June 2024

લાકડિયા ઓવરબ્રિજ પાસે ટ્રકની હડફેટે આવતા બાઇકચાલકનું સારવાર હેઠળ મોત

copy image રાધનપુર ધોરીમાર્ગ ઉપર લાકડિયા  ઓવરબ્રિજ નજીક ટ્રકે હડફેટે લેતાં ગંભીર ઈજાગ્રસ્ત બાઈક  ચાલકએ ચાલુ સારવારે  આંખો મીંચી લીધી હતી. ગાંધીધામ તાલુકાના અંતરજાળ પાસે અજાણ્યાં  વાહનની  ટક્કરે  શખ્સ નું મૃત્યુ થયું હતું. સૂત્રો દ્વ્રારા મળતી માહિતી મુજબ  , લાકડિયા નેશનલ હાઈવે ઓવરબ્રિજ પાસે ગત તા. 16/5ના સવારે 7.30થી 8 વાગ્યાના   અરસામાં આ બનાવ બન્યો હતો. શખ્સ  મોટરસાઈકલ  લઈને માધાપરથી વડોદરા  જવા નીકળ્યા હતા, તે દરમ્યાન ટ્રકના  ચાલકે તેમને ટક્કર મારી હતી, જેમાં શખ્સને ગંભીર પ્રકારની ઈજાઓ થતાં ભુજ જી.કે. જનરલ હોસ્પિટલમાં સારવાર અપાયા બાદ વધુ સારવાર અર્થે અમદાવાદ ખસેડાયા હતા. અહીં ચાલુ સારવારે ગત તા.18/5ના સાંજે ચાર વાગ્યાના અરસામાં તેમણે દમ  તોડયો હતો.  મૃતકના  માતા એ  અકસ્માત કરનારા ચાલક વિરુદ્ધ ગુનો નોંધાવ્યો હતો. 

ભુજના વકીલે મથડાના વૃદ્ધની 2.50 લાખની લોન ચાંઉ કરી

copy image ભુજના વકીલે અંજાર તાલુકાના મથડાના વૃદ્ધ  સાથે 2.50 લાખની લોન સંબંધિત છેતરપિંડી  કરતાં તેની સામે  ફોજદારી ફરિયાદ નોંધાવાઈ હતી . મથડાના  વૃદ્ધએ  એ-ડિવિઝન પોલીસ  મથકે નોંધાવેલ  ફરિયાદ અનિસાર તેઓ વર્ષ 2019માં ફેબ્રુઆરીના  અંતમાં ભુજમાં આશાપુરા  રિંગરોડ  પર આવેલી વકીલની ઓફિસે  ઘરના  રિપેરિંગની લોન લેવાની કાર્યવાહી માટે ગયા  હતા અને અરજી આપી હતી, ત્યારે વકીલે  કહ્યું કે, હાલ  લોન...

આદિપુરમાં નવપરિણીતાએ ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો

copy image આદિપુરના મણિનગરમાં સોનલ માનાં મંદિર પાછળ રહેતી 23 વર્ષીય પરિણીતાએ  સાંજના આરસામાં  કોઈ  અગમ્ય કારણે પોતાના ઘરે પંખામાં ગળેફાંસો ખાઈ લેતાં તેને સારવાર અર્થે શહેરની ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા  હતા, જ્યાં ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યા હતા. આદિપુર પોલીસે અકસ્માત મોતનો ગુનો દાખલ કરી કાર્યવાહી  હાથ ધરી હતી . ભુજમાં ભાનુશાલીનગરમાં હનુમાન મંદિરની બાજુમાં રહેતા  યુવાને  એ  સાંજના આરસામાં કોઈ  અગમ્ય કારણોસર સેડાતા ગામની નજીક આવેલી સૂર્યા વરસાણી એકેડેમીની પાછળના ભાગે આવેલી બાવળની  ઝાડીમાં ગળેફાંસો ખાઈ લેતાં તેના  બનેવી  સારવાર અર્થે ભુજની જી.કે. જનરલ હોસ્પિટલમાં લઈ આવતાં ફરજ  પરના  તબીબે મૃત ઘોષિત કર્યા હતા. માનકૂવા પોલીસે અકસ્માત મોતનો ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી ...

ભુજના ખત્રી પરિવારનો ગમખ્વાર અક્સ્માત: માતા-પુત્રનું મોત

ભુજના ખત્રી પરિવારની કાર  બપોરના આરસામાં  પાલી પાસે પલટી ખાઈ જતાં આ ગમખ્વાર અકસ્માતમાં માતા  અને તેના પુત્રનું મોત થયું હતું, જ્યારે  શખ્સ  અને તેના ત્રણ પુત્ર ઘાયલ થયા હતા શખ્સના પરિજનો પાસે મેળવેલી  વિગતો મુજબ  સાંજના આરસામાં  મગરીબ નમાજ પઢીને શખ્સ પોતાની નવી કાર મહિન્દ્રા કંપનીની   કાર લઈને  પરિવાર સાથે અજમેર શરીફ ખ્વાજા મોઈનુદ્દીન ચિશ્તીના દરબારમાં સલામી અર્થે નીકળ્યા હતા. ભુજના હિના પાર્ક  ખાતે રહેતા અને શેરબજારના વ્યવસાય સાથે સંકળાયેલા તથા મુંદરાથી પરણેલા શખ્સના પત્ની, પુત્રો ,સાથે ભુજથી કારમાં  નીકળ્યા બાદ ડીસા પાસે ગાડીમાં પંક્ચર થતાં પરિવાર સાથે રાત્રિ રોકાણ ડીસામાં કરી બીજા દિવસે  સવારે અજમેર  તરફ પ્રયાણ કર્યું હતું.  બપોરના...