શું મધ્યપ્રદેશના હરદામાં આવેલ ફટાકડાની ફેક્ટરી છે અવૈધ …?

quetion mark

copy image

copy image

હાલમાં જે ચકચારી કિસ્સો સામે આવ્યો છે, મધ્યપ્રદેશના હરદામાં ફટાકડાની કંપનીમાં રુવાંડા ઊભા કરી દે તેવો ચોંકાવનાર બ્લાસ્ટ થયો છે, જે દુર્ઘટનામાં 11 લોકોના મોત થયા છે તો અનેક લોકો ઘાયલ બન્યા છે, ઉપરાંત ફેકટરીના આસપાસ રહેતા કેટલાક લોકો પોતાની ઘરવખરી ગુમાવી ચૂક્યા છે ત્યારે સૂત્રો દ્વારા જણાઈ રહ્યું છે કે, કેટલાક વર્ષોથી ચાલી રહેલ આ કંપની અવૈધ છે. આ ઘટના બાદ કેટલાક સવાલો સામે આવી રહ્યા છે. લોકોમાં ખૂબ જ ઝડપી વેગે આ બનાવ ચર્ચાઈ રહ્યો છે. તો, લોકોના મનમાં કેટલાક સવાલો પણ ઉઠી રહ્યા છે…શું વર્ષોથી ચાલતી આ ફેક્ટરી અવૈધ છે..? જો હા, તો શું અવૈધ ફેક્ટરી લોકોથી અજાણ છે..? બનેલ દુર્ઘટનામાં કોણ છે આટલા લોકોની મોતનો કોણ છે જવાબદાર…? બનાવના પગલે ઘટના સ્થળે ભારે ધોડદામ મચી હતી. જાણવા મળી રહ્યું છે કે, હારદાની કંપનીમાં થયેલ આ બ્લાસ્ટ એટલો તીવ્ર હતો કે, કેટલાક કિલોમીટર સુધી તેના ધામાકા ગુંજી ઉઠયા હતા. આ કંપનીમાં લાગેલ ભીષણ આગની તીવ્રતા એટલા પ્રમાણમાં હતી કે, આસપાસના મકાનો પણ આ આગની લપેટમાં આવી ગયા હતા. આ દુર્ઘટનામાં અનેક લોકો મૃત્યુ પામ્યા છે, કેટલાક બાળકોએ માતા-પિતાની છાત્રછાયા ગુમાવી છે….તો કેટલાક લોકો ગંભીર રીતે ઘાયલ બન્યા છે. કંપનીમાં બનેલ દુર્ઘટનામા મૃત્યુ પામેલ લોકો અને કેટલાક ઘાયલ થયેલ લોકોને મળશે ન્યાય…? છેલ્લા કેટલાક વર્ષોથી ચલાતી આ કંપનીમાં બનેલ દુર્ઘટનામા કેટલાક લોકોના ઘર બળીને ભષ્મ થઈ ગયા છે. કોણ છે આ તમામ વાકયાતનો જવાબદાર ….? લોકોમાં ચર્ચાતો વિષય