રાપર ખાતે આવેલ જાટાવાડામાં ગેર કાયદેસર ખનીજચોરીનો પ્રયાસ સામે આવ્યો : આરોપી ફરાર

રાપર ખાતે આવેલ જાટાવાડામાં ગેર કાયદેસર ખનીજચોરીનો પ્રયાસ સામે આવી રહ્યો છે. આ બનાવથી આસપાસના વિસ્તારમાં ભારે ચકચાર પ્રસરી હતી. આ અંગે સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર વનવિભાગના સ્ટાફ નાઈટ પેટ્રોલિંગમાં હતા, તે દરમ્યાન પૂર્વ બાતમીના આધારે ગેરકાયદેસર ખનન કરતા સ્થળ પર બે સ્ટાફના વ્યક્તિ અચાનક પહોંચ્યા હતા. પ્રાપ્ત થતી વિગતો મુજબ ત્યાં ડમ્પર, જેસીબીથી અજાણ્યા ઈસમો ખનન કરી રહ્યા હતા. જયારે પૂછવામાં આવ્યું કે, તમે કેમ ખનન કરો છો પરમિશન છે? ત્યારે ખનનકર્તાઓ દ્વારા જવાબ મળેલ કે, તેઓ રેવેન્યૂ વિભાગમાં કરી રહ્યા છે. આ સમયે વનપાલ અને વનરક્ષકે પ્રયત્નો કરવા છતાં પણ આ શખ્સો સાધનો લઇ નાસી છૂટ્યા હતા. જાણવા મળી રહ્યું છે કે, વનવિભાગ દ્વારા પોલીસને લેખિતમાં ફરિયાદ કરવામાં આવી છે.પોલીસે આ અંગે ફરિયાદ નોંધી આગળની વધુ તપાસ હાથ ધરી છે.