પડધરીમાં 20 વર્ષીય પરિણીતાનો આપઘાત
copy image

સૂત્રો દ્વારા જણાઈ રહ્યું છે કે, પડધરીમાં ત્રણ માસ પૂર્વે લગ્ન થયેલ પરણિતાએ ગળાફાંસો ખાઈ જીવન ટૂંકાવી લીધું હતું. આ બનાવ અંગે પ્રાપ્ત થતી વિગતો મુજબ પ્રાપ્ત વિગત મુજબ પડધરીના ગીતાનગરમાં રહેતી 20 વર્ષીય પરણિતાએ છતના હુકમાં ચૂંદડી બાંધી ગળેફાંસો ખાઈ મોતને ભેટો કરી લીધો હતો. વધુમાં જાણવા મળી રહ્યું છે કે, આ બનાવને પગલે પડધરી પોલીસ દ્વારા મૃતદેહને પીએમ માટે રાજકોટ સિવિલમાં ખસેડવામાં આવેલ હતો.આ બનાવ અંગે પોલીસે આગળની વધુ તપાસ આદરી છે.