જિલ્‍લા /પેટા તિજોરી કચેરીઓ સહિત એસબીઆઇની સહિતની બેન્‍કીંગ શાખાઓ

 તા.૩૦ માર્ચના  સાંજે ૬.૧૦ વાગ્‍યા પછી પણ

લેવડ દેવડનું કામકાજ ચાલુ રાખવાનું રહેશે

 જિલ્‍લા કલેકટરશ્રી અમિત અરોરાએ એક આદેશ દ્વારા તા.૩૦/૦૩/૨૦૨૪, શનિવારના રોજ જિલ્લા તિજોરી કચેરી, ભુજ અને તેને સંલગ્ન પેટા તિજોરી કચેરીઓ સરકારી લેવડ-દેવડના કામકાજ અર્થે સાંજે ૬.૧૦ સુધી અને ૬.૧૦ પછી પણ ચાલુ રાખવા સૂચના આપવામાં આવી છે નાણાંકીય વર્ષ ૨૦૨૩-૨૪ની સમાપ્‍તિને કારણે કામગીરીના ભારણ અને તિજોરી કચેરી દ્વારા ચાલુ નાણાંકીય વર્ષમાં અનુદાનોના વિનિયોગની ચૂકવણીની સરળતા તેમજ સરકારી બિલો/ચેક્સ ઇત્યાદી દ્વારા ખર્ચલક્ષી કામગીરીની સરળતા માટે જીટીઆર-૨૦૦૦ના નિયમ ૩૦૫ અન્‍વયે આદેશ કરવામાં આવ્યો છે.  સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાની (ભુજ, માંડવી, મુંદરા, અંજાર, ભચાઉ, ગાંધીધામ, નખત્રાણા, નલીયા, દયાપર  શાખાઓ)  અને બેંક ઓફ બરોડા રાપર સહિત સરકારી બિલ્સ/ચેક્સની લેવડ-દેવડ કરતી અનેક બેંકીંગ ટ્રેઝરી/સબ ટ્રેઝરી બિલ્સ/ચેક્સની લેવડ-દેવડ ચાલુ રાખવા સંબંધિત બ્રાંચ મેનેજર્સને ટ્રેઝરી ઓફિસરના પરામર્શમાં રહી ૩૦/૩/૨૦૨૪ શનિવારના રોજ ૬.૧૦ અને પછી પણ નાણાંકીય લેવડ-દેવડ માટે ચાલુ રાખવા જણાવાયું છે.