ગોપાલપુરીની સસ્તા અનાજની દુકાનના સંચાલકનો પરવાનો રદ

parvano rad

copy image

copy image

કચ્છમાં છેલ્લા કેટલાક સમયથી સસ્તા અનાજની દુકાનોમાં ચાલતી ગેરરીતિને ઉઘાડી પાડવા પુરવઠા વિભાગે આકસ્મિક તપાસ હાથ ધરી હતી . અગાઉ ખારીરોહરમાં એક દુકાનનો પરવાનો રદ કરાયા બાદ ગોપાલપુરીમાં વધુ એક દુકાનનો પરવાનો કાયમી ધોરણે રદ કરી ધાક બેસાડતી કાર્યવાહી કરાઇ હતી . પુરવઠા અધિકારીનાં માર્ગદર્શનમાં ગોપાલપુરીમાં આવેલ શખ્સની વાજબી ભાવની દુકાનમાં આસ્મિક તપાસ દરમિયાન ઘઉં, ચોખા, ખાંડ, તુવેર દાળ તથા ચણાના જથ્થામાં 4669 કિ.ગ્રા.ની ઘટ જણાઇ હતી. આ ગેરરીતિ સબબ આ સસ્તા અનાજની દુકાનના સંચાલકને 2,76,633નો દંડ ફટકારવા સાથે ડિપોઝિટની 5000ની રકમ રાજ્યસાત કરી આ દુકાનનો પરવાનો કાયમી ધોરણે રદ કરી દેવાયો હતો. પુરવઠા તંત્રની કાર્યવાહીથી ગેરરીતિ આચરતા તત્ત્વોમાં ફફડાટ ફેલાયો છે.