અંતરજાળમાં આકાશી વીજળી પડતા યુવાનનું મોત
કચ્છમાં વીજળીનાં કડાકા, ભડાકા સાથે વરસાદી માહોલ જામ્યો છે. હવામાન વિભાગની આગાહીના પગલે સમગ્ર રાજ્ય સહિત એવામાં ગાંધીધામ તાલુકાનાં અંતરજાળમાં આકાશી વીજળી પડતા એક યુવાનનું મોત થયું હોવાના અહેવાલ મળી રહ્યાં છે. પ્રાપ્ત માહિતી મુજબ આજ રોજ સવારના અરસામાં પોણા નવના અરસામાં અંતરજાળનાં પરશુરામ ધામ સોસાયટીમાં રહેતા મનોજ હસમુખભાઈ નાગર એકટીવા ઉપર સમીર ઉપેન્દ્ર ગજજ઼ર સાથે ઓફિસ જવા માટે નીકળ્યા હતા. તે દરમિયાન અચાનક આકાશી વીજળી પડતા મનોજ નાગરનું ઘટના સ્થળે જ કરુણ મોત નીપજયું હતુ. વીજળી પડતા મોતને ભેટેલા યુવાનના મૃતદેહને હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.