પતિ-પત્નીના ઝઘડામાં પતિએ ઝેરી દવા ગટગટાવી જીવ ગુમાવ્યો

copy image

copy image

નખત્રાણા તાલુકાના વડવાકાંયામાં પતિ-પત્નીના ઝઘડાને લઇ પતિ અરવિંદભાઇ ભચુભાઇ નાગડા કોલી (ઉ.વ.35)ને મનમાં લાગી આવતાં તેણે ઝેરી દવા ગટગટાવી પોતાનો જીવ દઇ દીધો હતો. પ્રાપ્ત માહિતી મુજબ બપોરે 3.30 વાગ્યાના અરસામાં અરવિંદભાઇએ વડવાકાંયામાં પ્રેમસંગજી કેશુભા જાડેજાની વાડીમાં કોઇ ઝેરી દવા ગટગટાવી લેતા તેનો ભાણેજ વીરજી તેને 108 મારફત મંગવાણાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં સારવાર અર્થે ખસેડાતા ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યા હતા. વીરજીએ જણાવ્યું હતું કે, અરવિંદનો તેની પત્ની સાથે ઝઘડો થયો હતો, જેના મનદુ:ખમાં તેને અંતિમ પગલું ભરી લીધું હતું . નખત્રાણા પોલીસે અકસ્માત મોતનો ગુનો દાખલ કરી પીએસઆઇ આર.ડી. બેગડિયાએ તપાસ હાથ ધરી હતી.