નગાવલાડિયામાં ગળેફાંસો ખાઇ આધેડે આયખું ટૂંકાવ્યું
copy image

અંજારના નગાવલાડિયામાં કરશન દેવરાજ કાનગડ (ઉ.વ. 50) નામના આધેડે ગળેફાંસો ખાઇ જીવ ગુમાવ્યો હતો નગાવલાડિયા ગામમાં રહેનાર કરશનભાઇ કાનગડ નામના આધેડ પોતાના ઘરે હતા. દરમ્યાન કોઇ કારણોસર તેમણે દોરડા વડે ગળેફાંસો ખાઇ પોતાના જીવનનો અંત આણ્યો હતો. આધેડે કેવા કારણે અંતિમ પગલું ભર્યું હશે તે માટે પોલીસે બનાવની નોંધ કરી આગળની તપાસ હાથ ધરી હતી .