આહીર યુવાન એવા દિલીપને ફસાવી તેને મરવા મજબૂર કરવાના ચકચારી કેસમાં મનીષાના જામીન મંજૂર : અંદાજિત ચાર વર્ષ બાદ જેલમાથી બહાર નીકળશે મનીષા
copy image

સૂત્રો દ્વારા જાણવા મળી રહ્યું છે કે, કચ્છના ચકચારી કેસ આહીર યુવાન એવા દિલીપને ફસાવી તેને મરવા મજબૂર કરવાના કેસમાં આરોપી માહિલા મનીષાના જામીન કોર્ટે મંજૂર કાર્યા છે. આ મામલે વધુમાં પ્રાપ્ત થતી વિગતો મુજબ પાલારા જેલમાંથી જ હનીટ્રેપનો દોરીસંચાર કરી આહીર યુવાન એવા દિલીપને પોતાની જાળમાં ફસાવી તેને મરવા મજબૂર કરવાના પ્રકરણમાં જામીન મેળવવા હાઈકોર્ટમાં કરવામાં આવેલ અરજીમાં કોર્ટેં બંને પક્ષને સાંભળ્યા બાદ મનીષા ગોસ્વામીને જામીન પર મુક્ત કરવા હૂકુમ કર્યો છે. અંદાજિત ચાર વર્ષના સમયગાળા બાદ મનીષાનો જેલમાંથી છૂટકારો થયો હતો.