અંજાર ખાતે આવેલ વરસાણામાં લાકડાના બેન્સામાં આગ ભભૂકી ઉઠતાં 40 લાખનું નુકશાન

copy image

અંજાર ખાતે આવેલ વરસાણામાં એક લાકડાના બેન્સામાં આગ ભભૂકી ઉઠતાં ભારે નુકશાન થયું હોવાનું સામે આવી રહ્યું છે. આ અંગે સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ ગત તા. 15/11ના વરસાણામાં આવેલા ગુપ્તા ટીમ્બર ટ્રેક્ટર પ્રા. લિમિટેડ નામના બેન્સામાં આગની જ્વાળાઓ ફાટી નીકળતા ભારે ધોડદામ મચી હતી. આ આગના બનાવ અંગે કંડલા ટીમ્બરના અગ્નિશમન દળને જાણ કરવામાં આવતા આગ પર પાણીમારો ચલાવી કલાકો બાદ તેનાં પર કાબૂ મેળવાયો હતો. જાણવા મળી રહ્યું છે કે આ આગના બનાવમાં કુલ રૂા. 40 લાખનું નુકશાન થયું હોવાનો અંદાજ આંકવામાં આવ્યો હતો. આ બનાવમાં કોઇ જાનહાનિ થઇ ન હતી.