ગાંધીધામાં 15 વર્ષની કિશોરીએ ગળે ફાંસો ખાઈ કર્યો આપઘાત

copy image

copy image

ગાંધીધામાં 15 વર્ષની કિશોરીએ ગળી ફાંસો ખાઈ લેતા ભારે ચકચાર મચી જવા પામી છે. આ બનાવ અંગે વર્તુળોમાંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ ગાંધીધામના આંબેડકર નગર પી.એસ.એલ. ઝૂંપડા શેરી નંબર 3માં રહેનાર છોટીકુમારી નામની કિશોરીએ કોઈ અગમ્ય કારણે દુપટ્ટા વડે ગળે ફાંસો ખાઈ જીવનના અંતિમ માર્ગે દોરી ગાઈ હતી. વધુમાં સૂત્રો જણાવી રહ્યા છે કે આ કિશોરી એક વર્ષનો લગ્નગાળો ધરાવતી હતી. પોલીસે આ બનાવ અંગે પોલીસે નોંધ કરી આગળની વધુ તપાસ આદરી છે.