ભુજના નારાણપરમાં રહેતી 32 વર્ષીય પરીણીતાએ ગળે ફાંસો ખાઈ જીવન લીલા સંકેલી

susaid-2

copy image

copy image

ભુજના નારાણપરમાં 32 વર્ષીય પરીણીતાએ ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હોવાનો બનાવ સામે આવ્યો છે. ત્યારે આ બનાવ અંગે વર્તુળોમાંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ ભુજના નારાણપરમ-પસાયતીના ઈન્દ્રાવાસમાં રહેતા 32 વર્ષીય પરિણીતાએ   ગત દિવસે સવારના સમયે પોતાના ઘરે કોઈ અગમ્ય કારણે ગળેફાંસો ખાઈ લીધો હતો.જાણવા મળી રહ્યું છે કે આ પરીણીતા સવારે ફાંસો ખાધેલી લટકતી હાલતમાં મળી આવેલ હતા. તેમને સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવામાં આવતા ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યા હતા. આ બનાવ અંગે પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી આગળની વધુ કાર્યવાહી આદરી છે.