ભુજ શહેરના રીંગ રોડસહિતના રસ્તાઓના રીસરફેસ અને મજબુતીકરણના કુલ૭ કામો માટે રૂ. ૩૦.૫૦ કરોડ ફાળવવાનો મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલનો મહત્વનો નિર્ણય

———-

        મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલેભુજ શહેરના રસ્તાઓના રીસરફેસ અને મજબુતીકરણ માટે ૧૪.૧ કિ.મી. લંબાઈના કુલ૭ રસ્તાઓના કામો માટે કુલ રૂ. ૩૦.૫૦કરોડ મંજુર કર્યા છે.

દ અનુસાર –

ક્રમકામનું નામસૂચિત લંબાઈ (કિ.મી.માં)અંદાજીત રકમ (રૂ.કરોડમાં)
નળ સર્કલ થી એન્કર સર્કલથી ઉદ્યોગ કેન્દ્ર૩.૫૦૦૭.૦૦
જીલ્લા ઉદ્યોગ કેન્દ્રથી એરોપ્લેન સર્કલથી પ્રિન્સ રેસીડન્સી૩.૫૦૦૮.૦૦
આત્મારામ સર્કલથી જથ્થાબંધ બજારથી દિનદયાળ સ્કુલ સુધી૧.૧૦૦૨.૫૦
મહિલા આશ્રમથી સર્કલથી સરપટ ગેટ૧.૫૦૦૩.૨૦
ભીડ ગેટથી રેલવેસ્ટેશન રોડ૧.૨૦૦૨.૭૦
રાણી લક્ષ્મીબાઈ સ્ટેચ્યુથી ગાંધીસર્કલ થી કચ્છમિત્ર કોલોની૧.૪૦૦૩.૦૦
જ્યુબીલી સર્કલથી વી.ડી. હાઈસ્કુલથી બી. મંગતરામથી દેશલપર તળાવ૧.૯૦૦૪.૧૦
કુલ૧૪.૧૩૦.૫૦૦

મુખ્યમંત્રીશ્રીએ કરેલા આ નિર્ણયના પરિણામે ભુજ શહેરના નાગરિકોને સારી સુવિધા તથાશહેરી વાહનવ્યવહારને વધુલાભ થશે અને કચ્છના પ્રવાસે આવનારા પ્રવાસીઓને વધુ સુવિધા મળતી થશે.