અંજાર ખાતે આવેલ સિનુગ્રામાં બંધ મકાનમાં ચોરીશમોએ ખાતર પાડ્યું

copy image

copy image

અંજાર ખાતે આવેલ સિનુગ્રામાં બંધ મકાનમાં ચોરીશમોએ ખાતર પાડ્યું હતું. આ મામલે સૂત્રોમાંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ ગત તા. 15/2ના અંજારના સિનુગ્રામાં આંબેડકરનગરમાં આ બનાવ બન્યો હતો. આ બનાવના ફરિયાદી વેલસ્પન કંપનીમાં નોકરી કરે છે. જાણવા મળી રહ્યું છે કે ફરિયાદીનો પરિવાર ગત તા. 15/2ના ધણીમાતંગ જન્મજયંતી નિમિત્તે ગામમાં ગયેલ હતા. તે દરમ્યાન ચોર ઈશમો તેમના ઘરમાં કળા કરી ગયા હતા.  ઉજવણી બાદ ફરિયાદીના પરીવારના સભ્યો પરત ઘરે આવીને જોતાં ઘરના તાળાં તૂટેલી હાલતમાં જોવા મળી આવ્યા હતા. ઉપરાંત ઘરમાં તમામ સામાન વેર વિખેર હાલતમાં જણાયો હતો. બાદમાં ઘરમાં વધુ તપાસ કરતાં આ ઘરમાંથી સોના ચાંદીના દાગીના તેમજ રોકડ સહિત કુલ  33,100ની મતાની ચોરી થઈ હોવાનું સામે આવ્યું હતું. આ મામલે પોલીસે મથકે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે આગળની વધુ તપાસ આરંભી છે.