આંબલિયારા ગામમાં પવનચક્કીમાંથી 2.22 લાખની તસ્કરી થયા મામલો પોલીસ ચોપડે ચડ્યો
copy image

ભચાઉ ખાતે આવેલ આંબલિયારા ગામમાં પવનચક્કીમાંથી 2.22 લાખની તસ્કરી થતાં પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવેલ છે. આ મામલે વધુમાં પ્રાપ્ત થતી વિગતો મુજબ આંબલિયારા ગામની સીમમાં સુઝલોન કંપનીની 31 જેટલી પવનચક્કી આવેલી છે. જેમાંથી 15 જેટલી પવનચક્કી છેલ્લા કેટલાક સમયથી બંધ હાલતમાં પડી હતી. ગત તા. 28/2ના રાતના સમયે ચોકીદારો પેટ્રોલિંગ કરી ચોકી કરી રહ્યા હતા. તે સમયે તા. 1/3ના સવારે પવનચક્કી આ નજીક આવતા તેનો દરવાજો ખુલ્લો જોવા મળ્યો હતો. બાદમાં અંદર વધુ તપાસ કરતાં ચોરી થઈ હોવાનું સામે આવ્યું હતું. આ પવનચક્કીમાંથી કુલ કિંમત રૂા. 2,22,000ના વાયરની તસ્કરે કરી ચોર ઈશમો ફરાર થયા હતા. આ મામલે પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે આગળની વધુ તપાસ આરંભી છે.