અંજારમાં 35 વર્ષીય પરીણીતાએ ગળે ફાંસો ખાઈ જીવનલીલા સંકેલી
copy image

અંજારમાં 35 વર્ષીય મહિલાએ ગળેફાંસો ખાઈ જીવનનું અંતિમ પગલુ ભર્યું છે. આ બનાવ અંગે વર્તુળોમાંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ અંજારના ગત તા.7/3ના રવેચીનગરમાં રહેતા 35 વર્ષીય લક્ષ્મીબેને પોતાના ઘરમાં હાજર હતા તે સમયે કોઈ અકળ કારણોસર ગળેફાંસો મોતને ભેટો કરી લીધો હતો. બનાવની જાણ થતાં તેમને તુરંત સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવામાં આવે હતા જ્યાં ફરજ પરના તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા. આ બનાવ અંગે પોલીસે નોંધ કરી આગળની વધુ કાયદેસરની કાર્યવાહી આદરી છે.