રાપરના ગાગોદરમાં સ્મશાન સુધીનો માર્ગ બિસ્માર હાલતમાં હોવાના કારણે લોકને હાલાકી

image-76

copy image

copy image

રાપરના હાઈવે પર આવેલાં ગાગોદરમાં સ્મશાન સુધીનો માર્ગ બિસ્માર હાલતમાં હોવાના કારણે લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ત્યારે આ મામલે સૂત્રોમાંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ ગામના  જીવરાજ ગેટથી સ્મશાન સુધીના માર્ગે રોજ વિદ્યાર્થીઓ સહિત બહોળી સંખ્યામાં  લોકોની અવરજવર હોય છે.  ખેડૂતો વાડી-ખેતરે આવતા જતા હોય છે. આ રસ્તા પર કાયમ પાણી ભરેલું હોવાથી લોકોને આ રસ્તા પરથી પસાર થવા માટે મુશ્કેલીનો સામનો કરવો પડે છે. ત્યારે આ ખખડધજ માર્ગને નવો બનાવી ડામરથી મઢી દેવા અંગે રજૂઆત કરવામાં આવેલ છે.