લખપતના પાનધ્રોમાં 40 વર્ષીય આધેડે નબળી આર્થિક પરિસ્થિના કારણ જીવ ત્યાગ્યો

copy image

copy image

લખપત ખાતે આવેલ પાનધ્રોમાં 40 વર્ષીય આધેડે ગળે ફાંસો ખાઈ મોતને ભેટો કરી લીધો હતો. આ બનાવ અંગે વર્તુળોમાંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ  લખપત ખાતે આવેલ પાનધ્રોના એકતાનગરમાં રહેતા કાસમની આર્થિક પરિસ્થિતિ ખરાબ નબળી હોવાના કારણે તે સતત ચિંતામાં રહેતા હતા. તે વચ્ચે ગત સાંજના સમયે આ આધેડે બાવળની ઝાડીમાં વાયર વડે ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. આ બનાવ અંગે વર્તુળોમાંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ અકસ્માત મોતનો ગુનો નોંધી આગળની વધુ કાર્યવાહી આદરી છે.