મુંદ્રાના રામાણિયામાં તળાવમાંથી 46 વર્ષીય આધેડની લાશ મળી આવતા ચકચાર
copy image

મુંદ્રા ખાતે આવેલ રામાણિયામાં તળાવમાંથી 46 વર્ષીય આધેડની લાશ મળી આવતા ભારે ચકચાર મચી જવા પામી છે. આ બનાવ અંગે વર્તુળોમાંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ મુંદ્રાના રામાણિયામાં 46 વર્ષીય પ્રવીણસિંહ હરિસિંહ ચાવડાનો મૃતદેહ રામાણિયાના તળાવમાંથી મળી આવ્યો હતો. હતભાગી તળાવમાં ન્હાવા ગયેલ હતા કે આ બનાવ આપઘાતનો છે તે સહિતની આગળની વધુ તપાસ પોલીસે હાથ ધરી છે.