ભારપરમાં 37 વર્ષીય પરિણીતાએ ગળે ફાંસો ખાઈ જીવનલીલા સંકેલી
copy image

ભુજ તાલુકાના ભારપરમાં 37 વર્ષીય પરિણીતાએ કોઈ અકળ કારણોસર ગળે ફાંસો ખાઈ જીવનનું અંતિમ પગલું ભરી લીધું હતું. આ બનાવ અંગે વર્તુળોમાંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ ભારપરમાં કાંતાબેન પૂનમભાઈ નાગશી નામના પરીણીતા પોતાના ઘરે પોતાના ઘરે હતા તે સમયે કોઈ અગમ્ય કારણોસર પંખામાં દુપટ્ટો બાંધી ગળેફાંસો ખાઈ લીધો હતો. આ બનાવ અંગે પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી આગળની વધુ તપાસ આદરી છે.