મુંદ્રાના કારાઘોઘામાં 24 વર્ષીય યુવાને જીવન ત્યાગ્યું

copy image

મુંદ્રા ખાતે આવેલ કારાઘોઘામાં 24 વર્ષીય યુવાને કોઈ અકળ કારણોસર ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો છે. આ બનાવ અંગે વર્તુળોમાંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ કારાઘોઘામાં રહેતા વિશાલ ખેરાજ મહેશ્વરી નામના યુવાને જીવનનું અંતિમ પગલું ભર્યું હતું. હતભાગી કારાઘોઘામાં પોતાની વાડીમાં હતો તે દરમ્યાન કોઈ અગમ્ય કારણોસર ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. બનાવની જાણ થતાં તેને સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવામાં આવેલ હતો. જ્યાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો. આ બનાવ અંગે પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી આગળની વધુ તપાસ આરંભી છે.