3 લાખનો ચેક પરત ફરતા નખત્રાણાના આરોપીને એક વર્ષની કેદ
copy image

ચેક પરત ફરવાના કેસમાં નખત્રાણાના આરોપી શખ્સને કોર્ટે એક વર્ષની કેદ તથા ત્રણ લાખ ફરિયાદીને વળતર ચૂકવવા અને હુકમ કર્યો છે. ફરિયાદી દિલીપસિંહ સવાઈસિંહ સોઢાએ નખત્રાણાના પ્રશિલકુમાર મણિલાલ ધોળુને હાથઉછીના 3 લાખ આપેલ હતા જેના બદલામાં આપવામાં આવેલ ચેક પરત ફરતા તેના વિરુદ્ધ કોર્ટમાં કેસ દાખલ કરવામાં આવેલ હતો. જેમાં કોર્ટે બંને પક્ષની દલીલો સાંભળ્યા બાદ આરોપીને તકસીરવાર ઠેરવી એક વર્ષની કેદ તથા ત્રણ લાખ ફરિયાદીને વળતર તરીકે ચૂકવી આપવા હુકમ કર્યો હતો.