ઔધોગિક એકમો/ઠેકેદારોએ મજૂરો માટે પાણી, વીજળી, રહેણાંક અને શૌચાલય તેમજ પ્રાથમિક સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા હુકમ જાહેર
રાજયમાં બાંધકામ હેઠળના ઈમારતમાં મહિલા મજૂરો ઉપર બળાત્કારના બનાવ બનેલા છે. જે ગુન્હાની તપાસ દરમ્યાન જાણવા મળેલ છે કે બળાત્કારના ભોગ બનનાર મહિલાઓ અને મજૂરોને સબંધિત મજુર ઠેકેદાર દ્વારા બાંધકામના સ્થળે પીવાના પાણી,વીજળી, શૌચાલય વિગેરે પ્રાથમિક સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવતી નથી. જેથી આ પ્રકારના પ્રાથમિક સુવિધાથી વંચિત મહિલા મજૂરો અને તેમના નાબાલિક બાળકો બળાત્કારના ભોગ બને તેવી સંભાવના રહે છે.
જિલ્લામાં ભૂકંપ પછી મોટી સંખ્યામાં ઔધોગિક એકમોના આગમનથી પરપ્રાંતિય શ્રમિકો મોટી સંખ્યામાં વસવાટ કરે છે. તેઓને પાણી, વીજળી, રહેણાંક અને શૌચાલયની પ્રાથમિક સુવિધાઓ કોન્ટ્રાકટરો તરફથી મળે તે જોવું ઈચ્છનીય છે.
આથી કચ્છ જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી આનંદ પટેલ દ્વારા ભારતીય નાગરિક સંહિતાની કલમ ૧૬૩ અન્વયે કચ્છમાં મહેસુલી હદમાં આવેલ તમામ ઔધોગિક એકમો બાંધકામની જગ્યાએ, ઈંટના ભઠ્ઠાઓ, ખાણો ખાતે મજૂરી કરતાં મજૂરોને લેબર કોન્ટ્રાકટર દ્વારા પાણી, વિજળી, રહેણાંક અને શૌચાલયની પ્રાથમિક સુવિધાઓ પૂડી પાડવાની રહેશે. ભારતીય નાગરિક સંહિતા-૨૦૨૩ની કલમ-૨૧૫ની આદેશાત્મકની જોગવાઇઓ ધ્યાને લઇને આ જાહેરનામાનો ભંગ ભારતીય ન્યાય સંહિતા-૨૦૨૩ કલમ-૨૨૩ અન્વયે ગુના કામે આ જાહેરનામા હેઠળ તપાસ કરવાના, જાહેરનામાનાં પાલન કરવાના અને તપાસના અંતે ફરિયાદ રજુ કરવાના અધિકાર જિલ્લાના પોલીસ અધિકારીશ્રીઓ તેમજ હેડ કોન્સટેબલ ઉપરના કર્મચારીઓની રહેશે.
આ હુકમ સમગ્ર કચ્છ જિલ્લાના સમગ્ર વિસ્તારમાં લાગુ પડશે. આ જાહેરનામું તા.૩૦/૦૬/૨૦૨૫ સુધી અમલમાં રહેશે. આ હુકમનો ભંગ કે ઉલ્લંઘન કરનાર સામે ભારતીય દંડ સંહિતાની કલમ-૨૨૩ મુજબ શિક્ષાને પાત્ર થશે.
અંજના ભટ્ટી ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦
