ભુજની હોસ્પિટલમાં 23 વર્ષીય યુવાને ગળે ફાંસો ખાઈ કર્યો આપઘાત
copy image

ભુજની ઓર્થોકેર હોસ્પિટલમાં 23 વર્ષીય યુવાને ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હોવાનો બનાવ પ્રકાશમાં આવ્યો છે. ત્યારે આ બનાવ અંગે વર્તુળોમાંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ મુરુભા જાડેજા નામનો યુવાન હોસ્પિટલ રોડ સ્થિત ઓર્થોકેર હોસ્પિટલમાં છેલ્લાં એકાદ વર્ષથી કામ કરતો હતો. તેને તા. 3-5ના રાત્રીના સમયે કોઇ અકળ કારણોસર હોસ્પિટલમાં ગળે ફાંસો ખાઇ લેતા તેને તાત્કાલિક સારવાર અર્થે લઈ જવામાં આવેલ હતો જ્યાં ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યો હતો. આ યુવાને કયા કરણોસર આવું પગલું ભર્યું હશે તે સહિતની આગળની વધુ તપાસ પોલીસે આદરી છે.
