નખત્રાણાના નાગવીરીમાં કિશોરીએ કોઈ અકળ કારણોસર  દવા પી લેતાં સારવાર દરમ્યાન મોત

copy image

copy image

નખત્રાણા ખાતે આવેલ નાગવીરી ગામમાં  17 વર્ષીય કિશોરીએ કોઈ અકળ કારણોસર  દવા પી લેતાં તેનું સારવાર દરમ્યાન મોત નીપજ્યું છે. આ બનાવ અંગે વર્તુળોમાંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ ગત તા. 28-4ના રાતના સમયે હતભાગી જ્યોતિબેન મનજીતસિંગ રાયસીખ નામની સગીરાએ કોઇ અગમ્ય કારણોસર એન્ટિડોઝ એટ્રોપાઇન નામની દવા પી લેતાં તેને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવામાં આવેલ હતી પરંતુ સારવાર કારગત ન નીવડતાં સારવાર દરમ્યાન તેનું મોત નીપજયું હતું. આ બનાવ અંગે પોલીસે અકસ્માત મોતનો ગુનો દાખલ કરી તજવીજ આદરી છે.