વરસામેડીમાં 17 વર્ષીય કિશોરનો આપઘાત

copy image

વરસામેડીમાં રહેનાર એક યુવાને ગળે ફાંસો ખાઈ પોતાની જીવન લીલા સંકેલી હતી. આ બનાવ અંગે સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ અંજાર તાલુકાના વરસામેડીની શાંતિધામ સોસાયટીમાં રહેનાર 17 વર્ષીય મુકેશ ઉર્ફે સૂરજ સદાનંદ ગત રાત્રે પોતાના ઘરે હાજર હતો. તે સમય દરમ્યાન કોઈ અગમ્ય કારણોસર ગળે ફાંસો ખાઈ અંતિમ શ્વાસ લીધા હતા. આ મામલે મળતી માહિતી મુજબ હતભાગીયે કયા કારણોસર આ પગલું ભર્યું હશે તે સહિતની વધુ તપાસ પોલીસે આદરી છે.
