વરસામેડીમાં યુવાને કોઈ અકળ કારણોસર ગળેફાસો ખાઈ જીવન ટુંકાવ્યું હતું

copy image

copy image

વરસામેડીમાં એક યુવાને કોઈ અકળ કારણોસર ગળેફાસો ખાઈ આપઘાત કરી લીધો હોવાના અહેવાલ સામે આવી રહ્યા છે. આ મામલે સુત્રોમાંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ અંજાર તાલુકાના વરસામેડીમાં રહેતા 28 વર્ષીય અર્જુન પેથાભાઈ રબારીએ ગુજરાત કોલોની નજીક પસાર થતા વીજ થાંભલામાં કોઈ અગમ્ય કારણે દોરી વડે ગળેફાસો ખાઈ જીવનનું અંતિમ પગલું ભરી લીધું હતું. આ બનાવ અંગે વધુ મળતી વિગતો મુજબ તે યુવાને કયા કારણોસર આવું પગલું ભર્યું હશે તે સહિતની વધુ તપાસ પોલીસે આરંભી છે.