સશસ્ત્ર સેના ધ્વજદિન ભંડોળમાં સહયોગ આપી સમાજને આપી નવી રાહ


યુદ્ધ હોય કે શાંતી આપણી સશસ્ત્ર સેનાઓ દેશની સેવામાં પોતાનું અમૂલ્ય યોગદાન આપતી રહી છે. રાષ્ટ્રની વિશાળ સરહદોના રક્ષણ માટે જ્યારે જ્યારે હાકલ પડી છે ત્યારે ત્યારે આપણી સેનાએ નિસ્વાર્થ કર્તવ્ય પરાયણતા અને રણભૂમિમાં પોતાની સર્વશ્રેષ્ઠ કાર્યદક્ષાતાની મિશાલ કાયમ કરી છે. માતૃભૂમિનાં રક્ષણ માટે સરહદોનું રખોપું કરતા આપણા શુરવીર જવાનોની સેવાનું તો કોઈ મુલ્ય આકી શકાય નહિ અને ઓપરેશન સિંદુરથી ભારતીય સેનાનાં શુરવીર જવાનોએ પોતાના અદમ્ય સાહસ અને બહાદુરીનો પરચો દુશ્મનોને બતાવી દીધો હતો તેનાથી સૌ નાગરિકો સારી રીતે વાકેફ છે. આવી વિષમ પરિસ્થિતિ અને કઠિન પરિબળો વચ્ચે દેશનાં સિમાડાઓ પર ફરજ બજાવતા દેશના જવાનોની બહાદુરી અને સાહસને બિરદાવવી તે પણ દેશના નાગરિકોની નૈતિક ફરજ છે તેવા અનોખા વિચાર સાથે દહિંસરા પાસે આવેલ પ્રાઈડ રોક રિસોર્ટનાં સંચાલકશ્રી મનજીભાઈ વરસાણીએ તેઓનાં સ્વ માતૃશ્રીની સ્મૃતિમાં સશસ્ત્ર સેનાનાં જવાનો, સ્વ સૈનિકોની ધર્મપત્નીઓ અને તેઓનાં પરિવારની કલ્યાણકારી પ્રવ્રુતીઓ માટે માટે ફૂલ નહિ તો ફૂલની પાંખડી સ્વરૂપે યોગદાન આપવાની ઈચ્છા રામપર વેકરા સ્થિત શ્રી હરી વિદ્યામંદિરનાં પ્રધાનાચાર્ય નયનભાઈ ચાવડાને વ્યક્ત કરી હતી અને આ બાબતે નયનભાઈ ચાવડાનાં માર્ગદશન હેઠળ તા ૨૯ મેંનાં રોજ જિલ્લા સૈનિક કલ્યાણ અને પુનર્વસવાટ કચેરીએ શ્રી લક્ષ્મણભાઇ મનજીભાઈ વરસાણી રૂબરૂ આવી સશસ્ત્ર સેના ધ્વજદિન ભંડોળ કે જે સૈનિકો અને તેઓના પરિવારની કલ્યાણકારી પ્રવ્રુતીઓ માટે નિર્મિત છે તેમાં રૂ. ૫૧,૦૦૦/- (રૂપિયા એકાવન હજાર) નું માતબર ફંડ આપ્યુ હતું . ભારતીય સશસ્ત્ર સેનાની સેવાઓને બિરદાવેલ હતી. આ સહયોગ માટે કચેરીના અધિકારી શ્રી હિરેન લીમ્બાચિયાએ જિલ્લા સૈનિક કલ્યાણ અને પુનર્વસવાટનાં પ્રમુખ અને કલેકટર, ભુજ તરફથી તેઓનો આભાર વ્યક્ત કર્યો હતો અને સૈનિક કલ્યાણની વિવિધ કલ્યાણકારી યોજનાઓને હજુ વધુ વિસ્તૃત અને લાભકારી કરી શકાય તે માટે સશસ્ત્ર સેના ધ્વજ દિવસમાં ફાળો આપવા જિલ્લાના નાગરિકોને અનુરોધ કરેલ હતો. આ ફાળો જિલ્લાના નાગરિકો, જિલ્લા સૈનિક કલ્યાણ અને પુનર્વસવાટ કચેરી, રૂમ ન. ૧૧૪, બહુમાળી ભવન, ભુજ ,(ફોન ૦૨૮૩૨-૨૨૧૦૮૫) ખાતે રૂબરૂમાં રોકડ,ચેક, ડીમાન્ડ ડ્રાફ્ટ, થી ” કલેકટર અને પ્રમુખશ્રી, આર્મ્ડ ફોર્સીસ ફ્લેગ ડે ફંડ એકાઉન્ટ, ભુજ” સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયા મારફતે પણ જમા કરાવી શકો છો તેમ વધુમાં જણાવેલ.