આગામી પાાંચ વર્ષમાાં અદાણી ગ્રપુ વિવિધ વ્યવસાયોમાં 15-20 અબજ ડોલરનું રોકાણ કરશે

અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણીએ કંપનીના કપરા ચઢાણ અને વ્યાપાર સામ્રાજ્યની વધુ મજબૂતી વિશેના રહસ્યો ખોલ્યા છે એશિયાના બીજા સૌથી ધનિક ઉદ્યોગપતિએ જણાવ્યું હતું કે, તાજેતરમાં આવેલી તમામ મુશ્કેલીઓનો સામનો કરીને અદાણી ગ્રુપે નોંધપાત્ર મજબૂતી દર્શાવી છે. પીટીઆઈના 1 જૂનના અહેવાલ મુજબ ગૌતમ અદાણીએ આગામી પાંચ વર્ષમાં તેના વિવિધ વ્યવસાયોમાં 15-20 અબજ ડોલરનું રોકાણ કરવાની નેમ વ્યક્ત કરી છે.

ગૌતમ અદાણીએ કંપનીની મજબૂત બેલેન્સ શીટ અને વૃદ્ધિનો ઉલ્લેખ કરીને આ વાત કહી છે. ગ્રુપની ફ્લેગશીપ કંપની અદાણી એન્ટરપ્રાઇઝિસના તાજેતરના વાર્ષિક અહેવાલમાં તેમણે જણાવ્યું હતું કે “વિવિધ સંપાદનો અને કડક તપાસનો સામનો કર્યો હોવા છતાં અદાણી ગ્રુપે ક્યારેય પાછીપાની નથી. એટલું જ નહીં. આ જૂથ પોતાની વ્યૂહરચના બદલી વધુ સ્થિતિસ્થાપક, પ્રબળ અને અડીખમ બનીને ઉભરી આવ્યું છે.-

આપનો દૃઢ વિશ્વાસ એ જ અમારી તાકાત

અદાણી ગ્રુપના ચેરમેને કહ્યું, “અમારા ઉદસ્યો ભારતની મહત્વાકાંક્ષાઓ સાથે સુમેળ ધરાવે છે. ગૌતમ અદાણીએ જણાવ્યું હતું કે, અમારા શેરધારકોનો અમારામાં ૬૯ વિશ્વાસ એ જ અમારી તાકાત છે. તેમણે ઉમેર્યું હતું કે “પ્રત્યેક પડકાર અમારા સંકલ્પને વધુ મજબૂત બનાવે છે અને દરેક અવરોધ એક પગથિયું બની જાય

નકારાત્મકતા સત્યને હાંકે છે.

ગૌતમ અદાણી જણાવે છે કે આપણે એવી દુનિયામાં રહીએ છીએ જ્યાં નકારાત્મકતા ઘણીવાર સત્ય કરતાં વધુ પડઘા પાડે છે. પરંતુ અમે કાનૂની પ્રક્રિયાઓને સહકાર આપીએ છીએ. હું એ પણ ભારપૂર્વક કહેવા માંગુ છું કે અમારા જૂથની કામગીરી વૈશ્વિક ધોરણો મુજબની છે. અમારું માળખું મજબૂત છે. અમે તેમાં કોઈ સમાધાન કરતા નથી.