અમદાવાદથી એક સગીરાનુ અપહરણ કરી ભુજ રહેતો યુવાન સગીરા સાથે ઝડપાયો


અમદાવાદના વિવેકાનંદ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ એક સગીરાના અપહરણના મામલામાં આરોપી સગીરા સાથે ભુજ રહેતો હોવાનું અને મજૂરી કામ કરતો હોવાની હકીકત જાણવા મળ્યા બાદ પશ્ચિમ કચ્છ જિલ્લા પોલીસની ગુના શોધક શાખાના ઇન્ચાર્જ પીઆઇ એચ.આર. જેથી અને તેમની ટીમ દ્વારા સંબંધીત ગુનામાં ફરાર આરોપીને સગીરા સાથે ઝડપી લેવાયો હતો. પ્રાપ્ત વિગતો પ્રમાણે અમદાવાદના વિવેકાનંદ પોલીસ સ્ટેશનમાં એક સગીરાનું અપહરણ થયાની ફરિયાદ નોંધાઈ હતી આ મામલે તપાસ ચાલુ હતી તે દરમિયાન પશ્ચિમ કચ્છ જિલ્લા પોલીસની ગુના શોધક શાખાના કોસ્ટેબલ ધર્મેન્દ્ર રાવલને એક બાતમી મળી હતી કે મુન્દ્રા રોડ પર આવેલ શનિદેવ મંદિરની સામે ધ્રુવયાંશી બંગલાના કામ થઈ રહ્યા છે જેમાં એક મકાનમાં મજૂરી કરતો અજય અશ્વિન તરાળ નામનો મૂળ અરવલ્લીના જેસિંગપુરનો યુવાન એક સગીરા સાથે રહે છે આ બાતમીના આધારે એલસીબી ટીમના ઇન્ચાર્જ પીઆઇ એચ.આર. જેઠીના માર્ગદર્શન હેઠળ દરોડા પાડી અહીં બનતા ધ્રુવયાંશી બંગલોના એક મકાનમાં સગીરા સાથે રહેતો અજય તરાડ એક સગીરા સાથે મળી આવ્યો હતો જેની પૂછપરછમાં તેણે સગીરાનું અમદાવાદ ખાતેથી અપહરણ કર્યાની કબુલાત કર્યા બાદ એલસીબી ટીમ દ્વારા અમદાવાદ વિવેકાનંદ પોલીસ સ્ટેશનનો સંપર્ક કરતા પકડાયેલ આરોપી એક સગીરાના અપહરણનો ફરાર આરોપી હોવાનું સ્પષ્ટ થયું હતું એલસીબી ટીમ દ્વારા આરોપીને સગીરા સાથે પકડી પાડી ભુજ બી/ડિવિઝન પોલીસને સોપાયા બાદ ભુજ બી/ડિવિઝન પોલીસ દ્વારા આ અંગે અમદાવાદ વિવેકાનંદ પોલીસ સ્ટેશનને સોંપવાની કાર્યવાહી હાથ ધરાઈ છે.
