ગાંધીધામમાં બેભાન હાલતમાં મળી આવેલ 40 વર્ષીય આધેડનું સારવાર દરમ્યાન મોત

copy image

copy image

ગાંધીધામમાં 40 વર્ષીય આધેડ બેભાન હાલતમાં મળી આવતા ચકચાર મચી જવા પામી છે. આ બનાવ અંગે વર્તુળોમાંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ ગાંધીધામ રેલવે મથકના ગેટ નજીક મેલડી માતાના મંદિર પાસે 40 વર્ષીય આધેડ બેભાન હાલતમાં મળી આવ્યો હતો. જેને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવતા ફરજ પરના તબીબે તેમને મૃત જાહેર કર્યો હતો. આ હતભાગી કોણ છ? તે સહિતની વધુ તપાસ પોલીસે હાથ ધરી છે.