અમદાવાદ વિમાન દુર્ઘટના પછી અનેક NGO દ્વારા મૂંગા પ્રાણીઓની સંભાળ રાખવામાં આવી રહી છે


અમદાવાદ વિમાન દુર્ઘટના પછી, જ્યારે રાહત અને બચાવ કાર્ય માનવ જીવન બચાવવા પર કેન્દ્રિત હતું, ત્યારે અનેક સ્થાનિક NGO એ પણ અકસ્માત સ્થળની આસપાસ ફસાયેલા મૂંગા પ્રાણીઓની સંભાળ રાખી રહ્યા છે.
વિમાન દુર્ઘટના પછી આગમાં કૂતરા અને પક્ષીઓ મૃત્યુ પામ્યા છે. જોકે અનેક NGO તેમની ટીમ ઘટનાસ્થળે પહોંચી અને કૂતરા અને પક્ષીઓને બચાવવામાં સફળ રહી છે. અને ઘણા બધા મૂંગા પશુ પક્ષીઓ અકસ્માતમાં સળગી ગયા છે. અને અકસ્માત પછી બચી ગયેલા ઘણા પ્રાણીઓ અને પક્ષીઓ ખૂબ જ ડરી ગયા છે અને ઘણા ઘાયલ થયેલા છે. તો આવા ઘાયલ થયેલા મૂંગા પશું પક્ષીઓની મદદે નમસ્તે ફાઉન્ડેશન ના ખુશી દવે અને તેમની ટીમ પણ ખુબજ ઉમદા કાર્ય કરી રહ્યા છે.
