નખત્રાણાના રવાપરમાં સગીરાનો આપઘાત

copy image

copy image

નખત્રાણા ખાતે આવેલ રવાપરમાં સગીરાએ કોઈ અકળ કારણોસર ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવી લીધું હોવાની ઘટના સામે આવી રહી છે. આ બનાવ અંગે વર્તુળોમાંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ રવાપરમાં 16 વર્ષીય રિંકલબેન મોહનલાલ વાઘેલા પોતાના ઘરે હાજર હતી, તે સમય દરમ્યાન કોઈ અગમ્ય કારણોસર આડીમાં દુપટ્ટો બાંધી ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. આ મામલે પોલીસે અકસ્માત મોતનો ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.