અંજાર નગરપાલિકા દ્વારા શહેરને પ્લાસ્ટિકની થેલીથી મુક્ત કરવા“માય થેલી” પહેલ શરૂ કરાઈ

અંજાર નગરપાલિકા દ્વારા સ્વચ્છ ભારત મિશન તથા શહેરી અને અર્બન લાઈવલીહુડ મિશનના સંયુક્ત ઉપક્રમે ‘માય થેલી’ અભિયાનના ભાગરૂપે અંજાર પાલિકા તથા સખી મંડળની બહેનોના સહયોગથી જૂના કપડાંનો સદ ઉપયોગ કરીને વિનામૂલ્યે કાપડની થેલીઓ બનાવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. આ અભિયાન અંતર્ગત અંજાર નગરપાલિકા દ્વારા તા. ૩૧.૧૦.૨૦૨૫ સુધી દર અઠવાડિયાના ગુરૂવાર અને શુક્રવારે થેલીનું વિતરણ કરવામાં આવશે. જૂના કપડા આપી નવી થેલી શ્રી શારદા સેવાશ્રમ, બીલેશ્વર નગર, ૧૧૬-૧૧૯ નિરવ મોલવાળી ગલી, ખેતરપાળ મંદિર પાછળ, સમય સવારે ૧૦.૦૦ થી ૨.૦૦ અને બપોર ૩.૦૦ થી ૬.૦૦ દરમિયાન મેળવી શકાશે. આ પહેલનો મુખ્ય ઉદ્દેશ પ્લાસ્ટિકના ઉપયોગમાં ઘટાડો કરવાનો, પર્યાવરણ સુરક્ષાને પ્રોત્સાહન આપવાનો અને સ્થાનિક સખી મંડળની બહેનોના કૌશલ્યને પ્લેટફોર્મ પૂરું પાડવાનો છે. સખી મંડળની બહેનો દ્વારા વપરાયેલા કપડાંમાંથી સુંદર અને ટકાઉ થેલીઓ બનાવવામાં આવી રહી છે. આ થેલીઓ લોકોને તેના જૂના કપડાંમાંથી વિનામૂલ્યે બનાવી આપવામાં આવે છે.