અમદાવાદ વિમાન દુર્ઘટના પછી અનેક સ્થાનિક NGO દ્વારા સેવાઓ આપવામાં આવી

અમદાવાદ વિમાન દુર્ઘટના પછી, જ્યારે રાહત અને બચાવ કાર્ય ચાલી રહ્યું હતું ત્યારે પશું_પક્ષીઓ માટે ધ ઇન્ડિયન સોસાયટી ડેવલોપમેન્ટ ટ્રસ્ટ દ્વારા ઘણા બધા આગની ઝપેટમાં આવીને મૃત્યુ પામેલા ડોગ અને પક્ષીની વિચલિત કરે તેવી બોડીને એકત્ર કરીને તેમની દફન કરવાની પ્રક્રિયામાં NGOના સેવાભાવી યુવકો જોડાય ગયા હતા. અને ઘાયલ થયેલા મૂંગા પશું પક્ષીઓની સારવાર માટેની વ્યવસ્થામાં આ સંગઠન કામે લાગી ગયું હતું.

આ સમયે લોકો માનવ જીવન બચાવવા પર કેન્દ્રિત હતું, ત્યારે અનેક સ્થાનિક NGO એ પણ અકસ્માત સ્થળની આસપાસ ફસાયેલા મૂંગા પ્રાણીઓની સંભાળ રાખી રહ્યા હતા. તેમાં ઘણા બધા મૂંગા પશુ પક્ષીઓ અકસ્માતમાં સળગી ગયા હતા. અને અકસ્માત પછી બચી ગયેલા ઘણા પ્રાણીઓ અને પક્ષીઓ ખૂબ જ ડરી ગયા હતા અને ઘણા ઘાયલ થયેલા છે. તો આવા ઘાયલ થયેલા મૂંગા પશું પક્ષીઓની મદદે આવી સમાજ માં એક ઉમદાકાર્ય કરી જીવદયાનો સારો મેસેજ આવ્યો છે.