કચ્છ જિલ્લાની ગ્રામ પંચાયતના મતદાર વિસ્તારમાં વ્યક્તિઓની કોઇ મંડળી, સભા અને સરઘસ પરવાનગી સિવાય કરવા પર મનાઇ
આગામી ગ્રામ પંચાયતોની સામાન્ય/વિભાજન/મધ્યસત્ર/પેટા ચૂંટણીઓ માટેની તારીખો રાજ્ય ચૂંટણી આયોગના તા.૨૮/૦૫/૨૦૨૫વાળા પરીપત્રથી જાહેર થયેલ છે અને આદર્શ આચાર સંહિતા અમલમાં આવેલી છે. જે સંદર્ભે ચૂંટણી પ્રચાર માટે ઉમેદવારો, પક્ષના કાર્યકરો દ્વારા સભા, સરઘસ, રેલી વગેરેનું આયોજન થશે. આ સભા, સરઘસ વ્યવસ્થિત રીતે યોજાય અને કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તથા જાહેર સુલેહ શાંતિ જાળવવા તથા જાહેર વ્યવસ્થા જાળવવાના હેતુસર કચ્છ જિલ્લાની ચૂંટણી હેઠળની તમામ ગ્રામ પંચાયતોનો મતદાર વિસ્તારોમાં પરવાનગી લીધા સિવાય રાત્રિના ૧0:00 વાગ્યા પછી કોઈ વ્યક્તિઓની મંડળી અને સભા/સરઘસ ન યોજાય તે માટે હુકમ ક૨વાનું જરૂરી જણાય છે.
જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી આનંદ પટેલ, કચ્છ-ભુજ દ્વારા કરવામાં આવેલા આ હુકમ મુજબ સ્થાનિક સત્તાવાળાઓ પાસેથી જરૂરી પરવાનગી મેળવી હોય તેવી વ્યક્તિઓ, સંસ્થાને ફરજ પર હોય તેવી ગૃહરક્ષકદળની વ્યક્તિઓને. કોઈ લગ્ન પ્રસંગના વરઘોડાને. કોઈ સ્મશાનયાત્રાને કચ્છ જિલ્લાની ચૂંટણી હેઠળની તમામ ગ્રામ પંચાયતોનો મતદાર વિસ્તારમાં લાગુ પડશે નહીં.
આ હુકમના કોઈ પણ ભાગનો ભંગ અથવા ઉલ્લંઘન ક૨ના૨ અધિનિયમની કલમ-૧૩૫ મુજબ શિક્ષાને પાત્ર થશે.