ગાંધીધામ, રાપર તથા ભચાઉ ખાતે તાલુકા કક્ષાનો ‘વિશ્વ યોગ દિવસ’ ઉજવાયો


૨૧મી જૂનના દિવસને સમગ્ર વિશ્વમાં ‘આંતરરાષ્ટ્રીય યોગ દિવસ‘ તરીકે ઉજવવામાં આવે છે. યોગને રોજિંદી જીવનશૈલીનો ભાગ બનાવીને નિયમિત યોગ દ્વારા નિરોગી જીવન જીવી શકાય છે. આથી વિશ્વભરમાં વિશ્વ યોગ દિવસની ઉજવણી થકી લોકોને યોગ પ્રત્યે જાગૃત કરવામાં આવે છે.
કચ્છમાં પણ જિલ્લા અને તાલુકા કક્ષાએ વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. ગાંધીધામનો તાલુકાકક્ષાનો કાર્યક્રમ રમત-ગમત સંકુલ, રાપરનો કાર્યક્રમ સ્વામીનારાયણ ગુરૂકુળ, ભચાઉનો કાર્યક્રમ પટેલ બોર્ડિંગ ખાતે યોજાયો હતો. કાર્યક્રમમાં મામલતદાર શ્રી, તાલુકા હેલ્થ ઓફિસર શ્રી, પોલીસ સ્ટાફ, તાલુકાના આરોગ્યકર્મીઓ સહિત વહીવટી તંત્રના અધિકારીઓ, કર્મચારીઓ તથા નાગરિકો, શાળાના શિક્ષકો, વિદ્યાર્થીઓ સહિત મોટી સંખ્યામાં લોકોએ ઉપસ્થિત રહીને યોગ આસનો કર્યા હતા તથા યોગના ફાયદાઓ વિશે સમજ મેળવી હતી.