બોર વેલ/ટયૂબ વેલના બાંધકામ તથા સમારકામ અંગે જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા હુકમો જારી કરાયા
જિલ્લામાં ખુલ્લા બોર-કુવામાં બાળકોના પડી જવાના બનાવો ન બને તે માટે તકેદારીના પગલાં લેવા દરખાસ્ત રજૂ થયેલ છે જેને ધ્યાને લઈ નીચે મુજબનો હુકમ કરવો જરૂરી જણાય છે.
કચ્છ-ભુજ જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી આનંદ પટેલ દ્વારા ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા-૨૦૨૩ની કલમ-૧૬૩ અન્વયે કચ્છ જિલ્લાની મહેસુલી હદમાં બોર-કુવા બનાવવા પહેલાં તથા બનાવ્યા બાદ બોર વેલ/ટ્યુબ વેલના માલિક/ઉપયોગ કર્તા/ડ્રીલીંગ એજન્સીએ નીચે મુજબના હુકમોનું પાલન કરવાનું રહેશે.
બોર વેલ/ટ્યુબ વેલનું બાંધકામ શરૂ કરતા પહેલા જગ્યાના માલિકે સ્થાનિક સત્તામંડળ તથા સ્થાનિક પોલિસને ૧૫ દિવસ પહેલાં જાણ કરવાની રહેશે. તમામ સરકારી, અર્ધ સરકારી, પ્રાઈવેટ ડ્રીલીંગ એજન્સીએ સ્થાનિક સત્તામંડળ પાસે રજિસ્ટ્રેશન કરાવવાનું રહેશે. સાઈનબોર્ડ લગાવવાનું રહેશે. બોર વેલ/ટ્યુબ વેલનું બાંધકામ અથવા સમારકામ ચાલુ હોય ત્યારે નીચે જણાવેલ વિગતો સાથેનું સલામતી સૂચક બોર વેલ/ટ્યુબ વેલના બાંધકામ અથવા સમારકામ ચાલુ હોય ત્યારે ડ્રીલીંગ એજન્સીનું નામ તથા પૂરૂં સરનામું. બોર વેલ/ટ્યુબ વેલનો ઉપયોગ કરનાર એજન્સી અથવા માલિકનું નામ તથા પૂરૂં સરનામું બોર વેલ/ટ્યુબ વેલનું બાંધકામ અથવા સમારકામ ચાલુ હોય ત્યારે તેની આજુબાજુ કાંટાળા તાર અથવા યોગ્ય વાડ/અંતરાયો રાખવાના રહેશે.
વેલ કેસીંગની આજુબાજુ ૦.૫૦X૦.૫૦X૦.૬૦ (૦.૩૦ મીટર ગ્રાઉન્ડ લેવલ ઉપર તથા ૦.૩૦ મીટર ગ્રાઉન્ડ લેવલ નીચે) સિમેન્ટ કોંક્રીટ વાળુ પ્લેટફોર્મ બનાવવાનું રહેશે. સ્ટીલ પ્લેટ વેલ્ડીંગ કરી અથવા નટ બોલ્ટ સાથે મજબુત પ્લેટ ફીટ કરી બોર વેલ/ટ્યુબ વેલનું કેપીંગ કરવાનું રહેશે. ૫ં૫ સમારકામ અથવા અન્ય કોઈ સમારકામ દરમિયાન બોર વેલ/ટ્યુબ વેલ ખુલ્લા છોડી શકાશે નહી. બાંધકામ/સમારકામ પૂર્ણ થયા બાદ ખાડા/ચેનલમાં માટી ભરવાની રહેશે. બિન ઉપયોગી અથવા ત્યજી દેવાયેલ બોર વેલ/ટ્યુબ વેલ અંગે સ્થાનિક સત્તામંડળ પાસેથી એક પ્રમાણપત્ર મેળવવાનું રહેશે અને માટી/રેતી/કાંકરા વિગેરે દ્વારા નીચેથી ગ્રાઉન્ડ લેવલ સુધી ભરી દેવાના રહેશે. ડ્રીલીંગ પૂર્ણ થયા બાદ ગ્રાઉન્ડ લેવલ ડ્રીલીંગ શરૂ કર્યા પહેલા જે સ્થિતિમાં હોય તે સ્થિતિમાં લાવવાનું રહેશે. જે બોર વેલ/ટ્યુબ વેલ હાલ બીન ઉપયોગી હોય પરંતુ ભવિષ્યમાં તેનો ઉપયોગ કરવાનો હોય, તેને નટ-બોલ્ટ સાથે બોરકેપ લગાવી ઢાંકી રહેવાના રહેશે.
આ હુકમ સમગ્ર કચ્છ જીલ્લાના સમગ્ર વિસ્તાર માટે લાગુ પડશે. આ જાહેરનામું તા.૧૫/૧૧/૨૦૨૫ સુધી અમલમાં રહેશે. આ હુકમનો ભંગ કે ઉલ્લંઘન કરનાર ઈસમ ભારતીય ન્યાય સંહિતા-ર૦૨૩ની કલમ-૨૨૩ મુજબ શિક્ષાને પાત્ર થશે.
અંજના ભટ્ટી ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦