મોન્થા વાવાઝોડું અતી ઝડપમાં : આજે સાંજે આંધ્રપ્રદેશના દરિયા કિનારે ત્રાટકી અને તાંડવ કરશે

image-107

copy image

copy image

મોન્થા વાવાઝોડું અતિ ઝડપથી આગળ વધી રહ્યું છે ત્યારે આજે સાંજે આંધ્રપ્રદેશના દરિયા કિનારે ત્રાટકી અને તાંડવ કરશે તેવું જણાઈ રહ્યું છે. આ મોન્થા વાવાઝોડાએ અતિ ભયાનક સ્વરૂપ ધારણ કરી લીધું છે ત્યારે 100 કિમીની ઝડપે પવનફૂંકાવાની ગંભીર સંભાવનાઓ જાહેર કરાઈ છે. ત્યારે હવામાન વિભાગનું કહેવું છે, આ મોન્થા વાવાઝોડાના કારણે ગુજરાતમાં આગામી 3 દિવસથી હળવાથી ભારે વરસાદની સંભાવના રહે છે. હવામાન વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલ વિગતો મુજબ આ મોન્થા વાવાઝોડુ 28 ઓક્ટોબરે એટલે કે આજે સાંજે આંધ્રના દરિયાકાંઠે ટકરાશે અને વાવાઝોડાની સ્પીડ 90 થી 100 કિમીની હશે આ મોન્થા વાવાઝોડું ભારે વરસાદ લાવી શકે છે. ભારે વરસાદની આગાહીની સાથોસાથ  માછીમારોને સમુદ્રમાં ન જવાની તાકીદ કરવામાં આવી છે