ગાંધીધામમાં 17 વર્ષીય કિશોરીએ ગળે ફાંસો ખાઈ કર્યો આપઘાત
copy image

ગાંધીધામમાં 17 વર્ષીય કિશોરીએ ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. આ બનાવ અંગે વધુમાં પ્રાપ્ત થતી વિગતો મુજબ ગાંધીધામ શહેરના મહેશ્વરીનગર વિસ્તારમાં રહેનાર ખુશાલી વાલજી મતિયા ગત દિવસે પોતાના ઘરે હાજર હતી તે સમયે કોઈ અકળ કારણોસર પંખામાં દુપટ્ટો બાંધી ગળેફાંસો ખાઈ જીવનનું અંતિમ પગલું ભરી લીધું હતું. આ બનાવ અંગે પોલીસે નોંધ કરી આગળની વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.