ભુજમાં 40 વર્ષીય આધેડે જીવનનું અંતિમ પગલું ભર્યું

copy image

copy image

ભુજમાં 40 વર્ષીય આધેડે ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. આ બનાવ અંગે વધુમાં પ્રાપ્ત થતી વિગતો મુજબ ભુજના અક્ષર રેસિડેન્સીમાં રહેતા નીરજરાજ સોલંકીએ જીવનનું અંતિમ પગલું ભરી લીધું હતું. હતભાગી ઘરે હતો તે સમયે કોઈ કારણોસર બપોરના સમયે પંખામાં દોરી બાંધી ગળેફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો. આ મામલે પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી આગળની વધુ તપાસ આદરી છે.