આઇ.ટી.આઇ માંડવી ખાતે જોબફેર

જિલ્લા રોજગાર વિનિમય કચેરી કચ્છ અને આઇ.ટી.આઇ માંડવીના સંયુક્ત ઉપક્રમે તા.૧૯/૧૨/૨૦૨૫ના રોજ સવારે ૧૦ કલાકે જોબફેરનું આયોજન કરવામાં આવ્યું છે. આ રોજગાર ભરતીમેળામાં ખાનગી ક્ષેત્રના વિવિધ નોકરીદાતા ઉપસ્થિત રેહનાર છે. આ ભરતીમેળામાં એસ.એસ.સી, એચ.એસ.સી, આઇ.ટી.આઇ, ડિપ્લોમાં, ગ્રેજ્યુએટ પાસ ઉમેદવારો ભાગ લઇ શકે છે. આ ભરતીમેળામાં ઉપસ્થિત રહેનાર રોજગાર વાચ્છું ઉમેદવારોએ પોતાના શૈક્ષણિક લાયકાત તેમજ અનુભવના પ્રમાણપત્રોની નકલો અને બાયોડેટા સાથે હાજર રહેવા રોજગાર અધિકારીશ્રીની અખબાર યાદીમાં જણાવાયું છે.