ભારતીય ઓપનર શિખર ધવન વર્લ્ડ કપ 2019માંથી બહાર થઈ ગયો છે. ટૂર્નામેન્ટમાં બાકીની મેચો સુધીમાં તે ફિટનેસ મેળવી શકે તેમ નહીં હોવાથી તેને વર્લ્ડ કપમાં ટીમ ઈન્ડિયામાંથી બહાર બેસાડવાનો નિર્ણય ટીમ મેનેજમેન્ટે કર્યો છે. ધવનને ઓસ્ટ્રેલિયા સામેની બીજી મેચમાં ડાબા અંગૂઠા પર બોલ વાગતા હેરલાઈન ફ્રેક્ચર થયું હતું. જો કે ત્યારબાદ પાકિસ્તાન સામેની વન-ડેમાં તે રમ્યો નહતો. ધવન હજી પણ અંગૂઠાની ઈજામાંથી સંપૂર્ણ બહાર આવ્યો નથી. સૂત્રોના મતે ધવનને વર્લ્ડ કપમાંથી બહાર કરવામાં આવ્યો છે.