ભુજ વર્તૂળ કચેરી પીજીવીસીએલનો ઉત્તરાયણ પર નાગરિકોનેસાવચેતી અને સલામતી જાળવવા અનુરોધ
પીજીવીસીએલ ભુજ દ્વારા જનતાના હિત માટે આગામી પતંગ મહોત્સવ નિમિત્તે સાવચેતીના ભાગરૂપે જરૂરી પગલા લેવા જણાવવામાં આવ્યું છે.
જેમાં વીજળીના તૂટેલા તારથી બાળકોને દૂર રાખવા, ખુલ્લા વીજળીના તારને અડકવું નહિ, તાર પર ચડેલ પતંગ લેવા લંગર નાખવું નહિ, વીજ વપરાશના સાધનો, ઉપકરણો બળી જવાની સંભાવના રહેલી છે તેથી ઘરની આજુબાજુ કોઈપણ જગ્યાએ થાંભલા કે વીજળીના તારમાં અટવાયેલા પતંગ લેવા માટે લાકડી કે લોખંડ સળિયા વડે તેને કાઢવાના પ્રયાસો કરવા નહિ. ધાતુના તારથી વીજળીનો આંચકો લાગવાની અને અકસ્માત સર્જવાની સંભાવના રહે છે તેથી ધાતુના તાર બાંધીને પતંગ ઉડાવવા નહીં. મેગ્નેટિક ટેપ, સિન્થેટીક દોરી કે વીજવાહક માંજા તથા અન્ય વાયરોનો ઉપયોગ ટાળવો કારણ કે તેનાથી પાવરની જાહેર લાઈન કપાઈ જતાં અંધારપટ છવાઈ જવાની તેમજ વીજ અકસ્માત થવાની શક્યતા રહે છે. જેથી સર્તકતા અને સલામતી જાળવીને તહેવાર મનાવવા પીજીવીસીએલ ભુજ દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.
આ સાથે જ નજીકના વાયર પર વીજ કરંટ ચાલુ હોય તેવા સમયે પીજીવીસીએલ સંલગ્ન પેટા વિભાગીય કચેરી પર રૂબરૂ અથવા ટેલીફોનિક રીતે જાણ કરવી. વીજ અંગેની કોઈપણ ફરિયાદ ટોલ ફ્રી નં 1800 233 155 333 અથવા 19122 પર નોંધાવી શકાય છે તેમ ભુજ વર્તૂળ કચેરી પીજીવીસીએલની અખબારી યાદીમાં જણાવવામાં આવ્યું છે.